Friday, October 21, 2016

ફલાણાભાઈ V/S ભગવાન

 ફલાણાભાઈ V/S ભગવાન

એકવાર એક ફલાણાભાઈ પરમાર/સોલંકી/વાધેલા/(બીજી કોઈપણ એસ.સી., એસ.ટીની અટક લઈ લો) સરકારી વિભાગમાં એન્જિનીયર બની ગયા.
નોકરી અનામતના લાભના પ્રતાપે મળી. અને પ્રસાદ ચઢાવી મંદિરમાં દશઁન પણ કરી આવ્યા.
થોડા સમય વિત્યા બાદ રોસ્ટરમાં અનામતથી બઢતી પણ મેળવી લીધી..
બહુ જ ખુશ થયા.. હવે તો ધરમાં સત્યનારાયણની કથા કરી... હોમ હવન કરાવ્યો.. માતાનું જાગરણ કરાવી 101 બ્રાહ્મણોને ભોજન પણ કરાવ્યું.. ગણેશ ચતુથીઁમાં ગણપતિની સ્થાપના થવા લાગી..

સમય બદલાયો...
નોકરીમાં રોસ્ટર પ્રથા રદ્ જાહેર કરવામાં આવી.... અને જે કમઁચારીઓને આનો લાભ આપી નોકરીમાં બઢતી આપી પ્રમોશન મળ્યા તેઓને ડિમોશન કરાયા..

હવે ફલાણાભાઈ બહુ જ દુ:ખી થઈ ગયા... સીધા જ ભગવાનની શરણે પહોંચ્યા....આરાધના કરી. ભગવાન પણ તરત પ્રગટ થયા....
ભગવાન : બોલો.... શું તકલિફ છે....?
ફલાણાભાઈ: હે... પ્રભુ... મારુ ડિમોશન થઈ ગયું.
ભગવાન: આમાં હું શું કરી શકું....?
ફલાણાભાઈ: ભગવાન... મારુ પ્રમોશન ફરી મળે... એવી મારી ઈચ્છા છે...

ભગવાન:તને.. શું હું... એચ.આર. મિનીસ્ટર લાગું છું...
કે તારૂ પ્રમોશન કરાવી દઉં...

 ફલાણાભાઈ: પ્રભુ.. બધુ જ આપની મરજીથી થાય છે.. આપની મરજી વિના કશું નથી થતું..

ભગવાન: જો.. બધું હું જ કરી શકતો હોત તો... બંધારણની જરુર જ શી હતી..?
ભીમરાવ આંબેડકરે બંધારણની રચના કરી અમારો સવઁનાશ કરી દીધો...
33 કરોડ દેવી દેવતાઓની નસબંધી કરી નાખી.

ફલાણાભાઈ: પ્રભુ.... આપ આ શું બોલો છો..?

ભગવાન: જો... અમારુ ચાલત તો તમારા જેવા શુદ્રોને ભણવા જ ન દેત..
એટલાં માટે જ તમારા પુવઁજોને હજારો વરસો સુધી શિક્ષણ, સંપતિ અને સ્વતંત્રતાથી દૂર રાખ્યા હતા..

પણ ભીમરાવે અંગ્રેજોની મદદથી અમારા સામ્રાજ્યના કિલ્લાઓ ધ્વસ્ત કરી અમારુ સત્યાનાશ વાળી દીધુ..

ફલાણાભાઈ: પણ... પ્રભુ... મેં તો નોકરી મળી ત્યાંથી લઈ પ્રમોશન મળ્યું ત્યાં સુધી તમામ જગાએ માનતાઓ રાખી અને પુરી કરી ત્યારે તો તમે કંઈ ન હોતા બોલ્યા...

ભગવાન: અરે.... જ્યારે અમે શિક્ષણ મેળવવાનો અધિકાર જ આપ્યો ન હતો...તો નોકરી અને પ્રમોશન ક્યાંથી આપી શકવાના..?

 પણ... તમે મુરખો.. છો...

નોકરી અને પ્રમોશન તમને બંધારણનાં પ્રતાપે મળ્યા..
પણ તોય અહીં માનતાઓ પુરી કરવા આવી જાઓ છો...

શું... અમે તમને આમંત્રણપત્રિકા આપવા આવીએ.. છીએ..

તમે બધા પગથી પેદા થયા છો.. અને તમારુ કામ જ વેઠ કરવાનું છે..

ફલાણાભાઈ: આજથી હું
 દાન આપીશ તો સમાજને...
પુજા કરીશ તો બંધારણની,
પાઠ કરીશ તો બાબાસાહેબનાં.....

મિત્રો....
જાણવા મળ્યું છે કે....
પેલા ફલાણાભાઈ ત્યારથી સુધરી ગયા.... બોલો....

બાબાસાહેબ ની જય.....
ભારત ના બંધારણ ની જય...96249 87050

ભારત પાકિસ્તાની લડાઈ કરતા પણ વધુ લોકો સાડા ત્રણ લાખ લોકો રામમંદિર પાછળ મર્યા છે.

👆👆B.V.V.👆👆DIVYBHASKAR 21/10/16 ભારત પાકિસ્તાની લડાઈ કરતા પણ વધુ લોકો સાડા ત્રણ લાખ લોકો રામમંદિર પાછળ મર્યા છે. (બીજી વાત મરનારાઓની 100%  sc st obc જ હશે.બાબાસાહેબની 22 પ્રતિજ્ઞાા વાચી અમલ કર્યો હોતો ન મરત.ભાઈ ધર્મ પછી પહેલા જીવન મહત્વનુ છે.પદયાત્રા-ધાર્મિક અંધશ્રદ્ધા પાછળ 5000 વર્ષના કરોડો લોકો મરી ગયા છે.તથાગત બુદ્ધે 2600 વર્ષ પહેલા લોકોને બચાવ્યા.હોમ હવન ક્રિયાકાડો બંધ કરાવ્યા.પણ હજુ ભણેલા  ગણેલા જહુમા-ચામુડા-રાધાસ્વામી-ગુરુમહારાજ -નરસિંહ અવતારને ચક્કરમા પડ્યા છે.જો કરોડો દેવતા 500 વર્ષથી છે તો પછી તમે જાહેરમા તમારી જાત બતાવતા કેમ શરમાઓ છો?તમારા દીકરી દીકરાના લગ્નમા સ્વર્ણ બામણ બોલાવજો તમારી જાત તમને બતાવી દેશે.તમારા સ્મશાન અલગ-પૂજારીઓ અલગ -તમારા બામણો  જુદા -કૂવા જૂદા-વાસ જુદા -નોકરિયાતને  બામણો વાણિયા પટેલો મકાન ભાડે ન આપે-નવરાત્રિના ગરબા જુદા-શંકરાચાર્ય ન બની શકો-અંબાજી/બહુચરાજી/ચોટીલા/દ્વારકાધિશના મંદિરના પૂજારી  માત્ર બામણિયા બની શકે sc ST obc વાળો નહીં. -5000 વર્ષથી વેદપાઠશાળાઓ ધમધમે એક  SC ST OBC નુ નામ બતાવો જે વેદપાઠશાળાઓ મા ભણ્યો હોય?હુ એક લાખબામણોના નામ બતાવી જેઓ હજુ પોતાના દીકરાઓને ભણાવી રહ્યા છે.હજારો હિન્દુ ગ્રંથો વાચ્યા  પછી બાબાસાહેબ કહ્યુ કે SC ST OBC ધાર્મિક  પાંખંડ  નિભાવી રહ્યા છે.જેને તેઓ ધર્મ સમજે છે.5000 જૂના વેદ કહે છે બામણો બ્રહ્માના મુખમાંથી નીકળ્યા-ક્ષત્રિયો ભુજામાથી-વૈશ્યો પેટમાથી-શુદ્રો પગમાથી. અછૂત તો ક્યાથી ક્યાંથી આવ્યા??આવા ગપ્પા ને તમે પૂજો છો?તમારી જાતને હિન્દુ  ગણો છો?700 વર્ષ સુધી મોગલોએ અનેક મંદિરો પાડી  નાખ્યા 200 વર્ષ અંગ્રેજોએ  ગુલામ બનાવ્યા.ક્યા ગયા હતા માતાજી? હાજરાહજૂર પરચાવાળી ? ?5000 વર્ષ  રાજાઓએ તમારા બાપ દાદા ઓ પાસે વેઠ કરાવી અનેકને મારી નાખ્યા ત્યારે ક્યા ગયા હતા સંતો?5000 વર્ષ આગળ કુંલડી પાછળ ઝાડુ લગાવી તમારા બાપાદાદાઓ  ફરતા હતા ત્યારે પરચાધારી સંતો ક્યા ગયા હતા?વિજ્ઞાન કારણે લાઈટની મેડિકલ સગવડ મળી.50 વર્ષ  પહેલા દાદાજી પાસે છતપંખોએ નહોતો ભૂલી ગયા?હજૂ સમય છે પાછા વળો  તમારા બાપાદાદાઓ બામણો દરબારોની  માર ખાતા હતા.પૂછી જોજો.સમજી  જાઓ.બુદ્ધના સમાનગાળાના સિદ્ધાંત સ્વીકારી લો-બાબાસાહેબના એ વાક્યને ઘરની દીવાલો  પર લખી નાખો કે હિન્દુ તરીકે જન્મ્યયો છુ.પણ હિન્દુ તરીકે મરીશ નહી.મનુવાદને ગાળો બોલી વ્યવસ્થા પરિવર્તન ના વામન  મેશ્રામવવાળા વાક્યો બોલવાની કાઈ નહી વળે.વામનમેશ્રામવાળા -તથા બામસેફના કરોડો કાર્યકર્તા છે .અમલ કરતા નથી શિખામણ આપે છે.ભાઈ તમે તો બાબાસાહેબ ની વાત માનો.તમે જે રોજ મિટિંગ કરી SC ST OBC ના સમયને બરબાદ કરી રહ્યા છો.કેમ સમજતા નથી કે ગરીબી આપણી સમસ્યા નથી હિન્દુ ધર્મ+જાતિવાદી આપણી સમસ્યા છે.અંધશ્રદ્ધા માથી તમે પહેલા નીકળી જાઓ મનુવાદને ને ગાળો  બોલનારા વણકર ચાર ગુર્જર મહેશ્ર્વરીના વાડા ઊભા કરી સમાજની  પથારી ફેરવી રહ્યા છે.બાબાસાહેબને વાચ્યા નથી માત્ર વામન મેશ્રામના ભાષણો જે સાંભળ્યા છે.જય ભીમ

Monday, February 8, 2016

ગુજરાત નો વાસ્તવિક ઈતિહાસ : ------

👉🏿પાટીદારો ની વસ્તી: - 12 %
પાટીદારો ના મસીહા :- સરદાર વલ્લભભાઈ પટેલ 
પાટીદાર સમાજે આપેલા મુખ્યમંત્રી કુલ. :- 3 

👉🏿 આદીવાસી ની વસ્તી:-14%
આદિવાસી ના મસિહા :- અમરસિંહ ચૌધરી 
સમાજે આપેલ કુલ મુખ્યમંત્રી :- 1
👉🏿 રાજપૂત ની વસ્તી :- 0.38% 
રાજપૂત ના મસિહા :- શંકરસિહ વાઘેલા  શક્તિસિંહ ગોહીલ 
સમાજે આપેલ મુખ્યમંત્રી :- 2
👉🏿 ઓબીસી વસ્તી:- 38% 
ઓબીસી ના મસિહા :- માધવસિંહ સોલંકી  ભરતસિંહ સોલંકી 
સમાજે આપેલ મુખ્યમંત્રી :- 2
👉🏿 વાણિયા ઓ ની વસ્તી :- 1%
સમાજે આપેલ મુખ્યમંત્રી :- 3
👉🏿દલિતો ની વસ્તી :- 9%
દલીતો ના મસિહા :- ?????
દલિતો એ આપેલ મુખ્યમંત્રી :-  ???????

હવે બીજા કેટલાક રાજ્યો ની વાત કરીએ. 
બિહાર-
આજ સુધી 3 દલીત મુખ્યમંત્રી રહી ચુક્યા છે । રામવિલાસ પાસવાન, બાબુ જગજીવન રામ; જીતેનરામ માંઝી.

યુપી- 
માયાવતી.

મહારાષ્ટ્ર -
સુશીલકુમાર શીંદે.

આ ઉપરાંત ભારત ના બીજા ઘણા રાજ્યો માં દલીતો મુખ્યમંત્રી તરીકે રહી ચુક્યા છે ।

હવે ગુજરાત ના દલીત સમાજ ના બુધ્ધીજીવીયો એ  વિચારવા નુ છે કે આટલા મોટા વગૅ નુ બૅકિંગ હોવા છતાં કેમ કોઈ નેતા સમાજ ના મસીહા તરીકે ઊભરી ના આવ્યા . ગુજરાતના બાકી બીજા  સમાજ ના નેતા ઓ પોતાના અંગત સ્વાર્થ ને બાજુ પર મુકીને પોતાના સમાજ ની સાચી સેવા કરી શક્યા તો દલીત નેતાઓ કેમ ના કરી શક્યા ???  શુ માત્ર ગુજરાતમાં જ દલીત નેતાઓ પૂનાપેક્ટ નેતા બની ને રહી ગયા ??  શુ ગુજરાત ના દલીતો માં સમાજ ભાવના ના ડીએનએ મરી ચુક્યા છે ??? ગુજરાત ના દલીતો માં મુખ્યમંત્રી ના પદ સુધી પહોચવા ની ક્ષમતા નથી ???  

ગુજરાત માં દલીતો એ આત્મમંથન કરવા ની જરૂર છે . માયાવતી જેવી કુનેહ અને કાંશીરામ  જેવો સમાજપ્રેમ તેમજ આંબેડકર જેવી પ્રતિભા ધરાવતા યુવાન નેતાઓ એ હવે જાહેર માં આવવાની જરૂર છે । 

બસ હવે બહુ થયો અન્યાય!!!  બસ હવે ગુજરાત નો દલીત સમાજ સક્ષમ નેતૃત્વને ઝંખી રહ્યો છે .
એક એવા નેતૃત્વ ને જે જાહેર માં આૅબેડકરવાદ ને આગળ લઈ જાય અને ભર સભા માં મનુવાદ નાં નગ્નનાચ ને ખુલ્લો પાડવા ની હિંમત ધરાવતુ હોય.

Thursday, February 4, 2016

પ્રતિબદ્ધ દલિત સાહિત્યકાર તરીકે શેખી મારનાર

પ્રતિબદ્ધ દલિત સાહિત્યકાર તરીકે શેખી મારનાર ગુજરાત દલિત સાહિત્ય અકાદમીના મંગલમ, ગઠવી એન્ડ શ્રીમાળી કંપની લાળ ટપકાવતી દંભીઓની  ગેંગ છે એ ઉઘાડું પડી ગયું. જેવી આ દંભીઓની  ગેંગને ખબર પડી કે ગુજરાતની બીજેપી સરકારે ડો. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયંતી ની ઉજવણી માટે 125 કરોડ રૂપિયા ફાળવ્યા છે એ ભેળા જ એમણે ભગવો ઝબ્બો પહેરી લીધો. દંભીઓની  ગેંગે 125 કરોડમાંથી જેટલા ખંખેરાય એ ખંખેરવા માટે ફટાફટ દલિત સાહિત્યના કાર્યક્રમોનું આયોજન કરી નાખ્યું અને  એ કાર્યક્રમો પોતાને જ કરવા મળે એ માટે આરએસએસ અને બીજેપીના નેતાઓના તળિયા ચાટી લીધા. હવે  કાર્યક્રમોના નામે લાખો  રૂપિયા ભેગા કરી રહ્યા  છે. ડો. બાબાસાહેબ આંબેડકરનું નામ વટાવી ખાતા આ લોકોએ કોઈ જ દલિત સાહિત્યનુ ભલું કર્યું નથી. કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે એના અને હવે બીજેપી - આરએસએસના ગીત ગાય છે. મંગલમ તો આજે પણ કોંગ્રેસના નેતાઓની સંસ્થા ગુજરાત વણકર સમાજના પગારદાર છે. ગુજરાત દલિત સાહિત્ય અકાદમીની   દાદાગીરી, જોહુકમી અને આંબેડકરનું વટાવી ખાતી આ ગેંગના ત્રાસથી  સાચા દલિત સાહિત્યકારોએ અલગ થઈને ગુજરાત દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન બનાવવું પડ્યું. બીજેપી સરકારે થોડા દિવસ પહેલા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે શાળાઓમાં ક્વિસ માટે નાની ચોપડી તૈયાર કરાવેલી એમાં મંગલમ, ગઠવી એન્ડ શ્રીમાળી કંપનીએ ડો. આંબેડકરની કહેવાતી બાવીસ પ્રતિજ્ઞા ઘુસાડી ડો. આંબેડકરના નામને આ લોકોએ કલંક  લગાડ્યું અને સરકારને શરમમાં મૂકી દીધેલી. ડો. આંબેડકર અને દલિત સાહિત્યની ગન્દીસેવા કરતી આવી દંભીઓની  ગેંગને ગુજરાતના દલિતોએ ઓળખવી જોઈએ. 
-- ગુજરાત દલિત લીટરેચર ફાઉન્ડેશન, ગુજરાત

સૌ દલિતભાઈઓને જય ભીમ...

- કિશોર મકવાણા
 સૌ દલિતભાઈઓને જય ભીમ...
ડો. બાબાસાહેબને કદાચ સૌથી વધુ પોતાના લોકો જ નડ્યા હતા. જયારે જયારે ડો. બાબાસાહેબને સાથ આપવાની કે સાથે ઊભા રહેવાની વાત આવી ત્યારે ડો. બાબાસાહેબ પણ ઓશિયાળા પુરવાર થયા હતા. આજે તો એનાથી ય પરિસ્થિતિ વધુ બત્ત્તર અને વિકટ છે. દલિત સમાજ પેટા જ્ઞાતિ, સ્ટેટ્સ, વિચારધારા અને સંસ્થાઓમાં ચિંતા ઉપજાવે એ રીતે વિભાજીત થઇ રહ્યો છે. કેટલાક બંધુઓ  એટલી હદે જડ માનસિકતા ધરાવે છે કે પોતાના જ ભાઈની  સમાજ હિતની  અલગદ્રષ્ટિકોણથી કરેલી રજુઆતને પણ સ્વીકારી શકતા નથી.  હાલમાં આપણા યુવાનો ઉજ્જવળ કારકિર્દી લક્ષી બને એવા  પ્રયત્નો થવાના  બદલે આપણા યુવાનોને નકારાત્મક- આક્રોશ તરફ ધકેલવાના પ્રયત્નો વધુ થાય છે. આ એક ખુબ ગંભીર બાબત છે. ક્યારેક લાગે કે આજના સ્પર્ધાના યુગમાં આપણા તેજસ્વી યુવાનોનું ભાવી અંધકારની ગર્તામાં ધકેલવાની આ કોઈ પૂર્વયોજના તો નહીં હોય? અતિ નકારાત્મકતા હંમેશાં હતાશામાં પરિણમે છે, જેના પરિણામો પણ ગંભીર  જ હોય છે. રોહિત વેમુલાની આત્મહત્યા ચર્ચામાં છે ત્યારે તેને લઈને સહેજ અલગ દ્રષ્ટિકોણથી વાત મૂકી છે.  આમાં વાત દલિત વિરોધ કે દલિત તરફેણ કરવાની વાત નથી પણ સમાજમાં ચાલતા અલગ-અલગ પરિબળો જણાવવાનો પ્રયત્ન છે.  અત્યારે સૌને અંદરથી હચમચાવીને જગાડી શકે તેવો આ જ મુદ્દો છે, જેની પર હાલ સૌને વિચારતા કરવા મજબુર કરી શકાય.આ સમગ્ર વાતમાં કેવળ યુવાનોનું ભવિષ્ય, દલિત અને બાબાસહેબના હિતને જ કેન્દ્રમાં રાખ્યું છે.
 રોહિતની વાત કે વિચારધારા સાથે સહમત હોઈએ કે ના હોઈએ, પણ આ હોનહાર યુવાનથી આપણે સૌ દુઃખી જરૂર છીએ.   ભારતમાં રોહિત વેમુલા એ  પ્રથમ દલિત યુવાન નથી જેણે આત્મહત્યા કરી હોય.? પહેલા પણ ઘણાં યુવાને આત્મહત્યા કરી છે અથવા કોઈ દલિત યુવાનની હત્યા થઇ છે.  ગુજરાત અને ભારતના અન્ય પ્રાંતોમાં અનેક  દલિત અત્યાચારની ઘટના બને છે.ગુજરાતમાં વર્ષોથી દલિત પર અત્યાચાર થતા રહે છે. સાવરકુંડલા નજીકના એક ગામમાં  આપણી એક દીકરી  પર બળાત્કાર થયો.  ભયના ઓથાર નીચે જીવતા આ દીકરીના પરિવારે પોતાની પીડા વ્યક્ત કરવા અમરેલી આવી આત્મવિલોપનનો કરવાનો નિર્ણય  કર્યો.  ખેડા જિલ્લાના માતર તાલુકાના માલાવાડા ગામમાં પાણીના મુદ્દે દલિતો  પર અત્યાચાર થયો.  વણજર (તા. ભિલોડા, જિ. અરવલ્લી) ગામમાં દલિત સ્મશાનમાં તોડફોડ થઇ.  ભાવનગરના તળાજા નજીક શોભાવડ ગામે દલિત સરપંચની બે દીકરીઓ સાથે  એજ પરિવારની બીજી પણ  એક દીકરી પર ચાર નરાધમોએ બળત્કાર કરી મારી નાખવાની ધમકી આપી.  સુરેન્દ્રનગર જિલ્લાના ટીંબા ગામમાં એકમાત્ર ભણેલ। સુરેશ નામના   યુવાને ગામના અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો  ગામ લોકો એ ભર બપોરે રહેંસી નાખ્યો. આ બધા જ ગામની પીડાત્મક ઘટનાને    અમે અમારા  'સંવેદના સામયિક' ઉજાગર  કરી છે. આજે પણ ગુજરાતના  85 ગામમાં દલિતો  પોલીસ પહેરા હેઠળ  જીવી રહ્યાં  છે. આ બધી જ ઘટનાઓ ગુજરાતમાં હાલમાં જ બનેલી  છે, આવી તો અનેક ઘટના છે. આવા અત્યાચારો વખતે ચુપ રહેવા કે  અવાજ નહી ઉઠાવવા પાછળ આ કહેવાતા દલિત હિતેચ્છુઓ માટે  કયું કારણ હોઈ શકે? 
અન્યાય કે અત્યાચારનો ભોગ બનેલી વ્યક્તિ કે પરિવાર ક્યાંય કોઈ સંસ્થા સાથે જોડાયેલી નથી હોતી તો  આવા કેસોમાં કહેવાતા દલિત હિતેચ્છુઓનું મૌન રહેવા પાછળ કયું કારણ હોઈ શકે? ઘણા દલિત અત્યાચારના કેસમાં અમુક લોકો પીડિતો પાસે એટ્રોસીટી  એક્ટ હેઠળ કેસ કરાવવા શૂરા બને છે અને પછી જયારે  પેલો પરિવાર મુશ્કેલીમાં મુકાય ત્યારે કેમ કોઈ એ પરિવારની પડખે ઉભા રહેતા નથી ? કેસ કરાવવા શૂરા પણ પછી.....??? આમાં સમાજે શું સમજવાનું?  અમુક જ  ઘટનાઓમાં  વિરોધ દર્શાવતા આ   શુરવીરો ને આ બધી દલિત અત્યાચારની ઘટનામાં કેમ શુરાતન નથી ચડતું? ઘર આંગણે બનતી ઘટનાઓમાં અકળ  મૌન કેમ?
 ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમયે બધા કહેવાતા દલિત શુરવીરો ચુપ હતા ત્યારે આજ 'દિવ્ય ભાસ્કર' ની સોશિયલ નેટવર્ક કોલમમાં અનામતની તરફેણમાં  દલિત સમાજ આજે પણ કેવી ભયાનક જાતિવાદનો ભોગ ગામડા અને શહેરમાં બને છે- એનો વાસ્તવિક ચિતાર  તથા આંકડાકીય વિગતો સાથે ઉપરાઉપરી ત્રણ  લેખ આવ્યા. ત્યારે આપણો જ એક ભાઈ બાકીના  સમાજ અને રાજકીય એમ બધી બાજુથી વિરોધ વ્હોરીને પણ એકલપંડે અવાજ ઉઠાવતો હતો ત્યારે તેને સાથ આપવા કે અભિન્દન આપવા કે સહાનુભૂતિના બે શબ્દ કહેવા કોઈ કહેવાતા દલિત હિતેચ્છુ કેમ આગળ   આવ્યા નહોતા ? અમે કેટલાક દલિત મિત્રોએ અનામતની તરફેણ અને સમર્થન માટે જાગૃતિ મીટીંગો યોજી ત્યારે  તો મોટાભાગના લોકોએ સમાજ સંગઠિત થાય એ  માટે સમજણ સુધ્ધા દાખવી નહોતી.  સમાજની આવી મુશ્કેલ ઘડીમાં દલિત હિત માટે થઈને પણ સાથે જોડાવાની સમાજ ભાવના ક્યાં ગઈ  હતી? અનામતની સાચી વાત લોકો સુધી પહોંચે તે માટે 'અનામત અંગેનું સત્ય-અસત્ય'  પુસ્તક પ્રકાશિત કર્યું ત્યારે કેટલી દલિત હિતેચ્છુ વ્યક્તિઓ અને  સંસ્થાઓએ રસ દાખવ્યો? 
સમાજમાં  સારું  કરવામાં, સમજણ દાખવવામાં કે જાગૃતિ માટે સંગઠિત થવાનું  શુરાતન કેમ નથીચડતું  ? સારું કરનારને કોઈ સહકાર નહી આપવાનો અને તેની વાતને રાજકીય રૂપમાં ખપાવી દેવું... 
કોઈક આપણો ભાઈ જરાક કૈક જુદી રજૂઆત કરવા જાય તો તે શું કહેવા માંગે છે કે તેણે આવી વાત કેમ કરી તે બાબતે પણ વિચારવાનું નહી? બધા પોતપોતાની રીતે સમાજ કાર્ય કરતા હોય છે,  કોઈ સ્વાર્થ થી તો કોઈ નિસ્વાર્થ ભાવથી પણ, સમાજમાં કામ કરનારા બીજા કોઈની  સમાજ હિતની સાચી લાગણીમાંથી પણ વિરોધ માટેના મુદ્દાઓ શોધવા કેટલા યોગ્ય ?
બસ, આપણાથી થોડુંક જુદું બોલે તો આપણા જ ભાઈને પૂરો કરવા શૂરવીરતા દાખવવી, શક્ય એટલી શંકાઓ કરવી, સારા કાર્યને શંકાથી જોઈ સ્વાર્થમાં ખપાવવું અથવા કોઈના મોહરાં તરીકે જ જોવું અને  પોતાના જ ભાઈને પાડી દેવો અને પોતે જ સાચા એ ઠસાવવા એકદમ વિરોધી વાતાવરણ ઉભું કરવું કે દરેક વાતને  રાજકીય ચશ્માથી જોવી   એ તો આપણી કેવી માનસિકતા?  કોઈનાય  જીવનકાર્યને જોયા વિના - જાણ્યા  વિના અને મૂલવ્યા વિના કોઈ પણ નાના અમથા મુદ્દે કટ્ટરતા દાખવવી એ તો આપણી કેવી કરુણ-રુગ્ણ માનસિકતા? 
 આપણી વાત સાથે સહમત ના હોય તો આપણા પોતાના જ ભાઈને ખતમ કરી નાખો એવી વિચારધારા આપણા પ્રેરણા પુરુષ ડો. બાબાસાહેબની તો નહોતી  જ...
સૌ દલિતભાઈઓને જય ભીમ...   
 - કિશોર મકવાણા
 

કિશોરભાઈ, આપનો દિવ્યભાસ્કરમાં છપાયેલ ૩૧-૦૧-૨૦૧૬ નો લેખ વાંચ્યો. તમારા આ લેખના વિવિધ પ્રતિસાદોથી એટલું તો કહિ શકાય કે તમે સામા વહેણમાં તરવાની હિંમત દાખવી છે. લેખનું મથાળું ઘણું કહિ જાય છે

કિશોરભાઈ, આપનો દિવ્યભાસ્કરમાં છપાયેલ ૩૧-૦૧-૨૦૧૬ નો લેખ વાંચ્યો. તમારા આ લેખના વિવિધ પ્રતિસાદોથી એટલું તો કહિ શકાય કે તમે સામા વહેણમાં તરવાની હિંમત દાખવી છે. લેખનું મથાળું ઘણું કહિ જાય છે. આંબેડકરને બૌદ્ધ ધર્મની સઁસ્થાઓ અને રાજકારણ માટે થઇને વિવિધ સંગઠનો દ્વારા હાઇજેક કરવામાં આવ્યા છે તેને તમે ક્યાંક હાઇલાઇટ કર્યું છે. અને સ્વાભાવિક રીતે આંબેડકરના નામે ઘર ભરતા આવા લોકોને તેનો વિરોધ છે. આવા લોકો જેમાં હું જાણું ત્યાં સુધી બામસેફ, નયા પડકાર વગેરે લોકોએ આંબેડકર અમારા અમારા કરીને એમને ફક્ત દલિતોના નેતા બનાવી દીધા છે. જ્યારે આંબેડકરે બંધારણ દ્વારા લોકશાહી ભારતના ઘડતરમાં આપેલ યોગદાનને કોઈ મહત્વ નથી મળી રહ્યું. આઝાદી માટે જેટલુ ગાંધીજીનું યોગદાન છે, દેશને અખંડ બનાવવામાં જેટલું સરદાર પટેલનું યોગદાન છે એમ દેશના ભાવી ઘડતરની બુનિયાદ રોપવામાં આંબેડકરનું યોગદાન મહત્વનું છે. પરંતુ આજે ગાંધીજી કે સરદાર પટેલની જેમ આંબેડકરની ઓળખ રાષ્ટ્રીય નેતાની નથી રહિ. કેમ કે આંબેડકરના નામને વટાવી ખાવાની સ્વહીતની આપણા જ લોકોની વિવિધ પ્રવૃત્તિઓના લીધે તેઓ ફકત દલિતોના માણસ બનીને રહી ગયા છે. જેથી આપણા જ દલિત સમાજને નુકસાન થઈ રહ્યું છે અને દલિત સમાજની ભારત વિરોધી, હિંદુ વિરોધી, પ્રગતિમાં અડચણરૂપ વગેરે જેવી છાપ પડી રહી છે. સમાજને આવી અધોગતિપૂર્ણ વિચારધારામાં જતું અટકાવવું હવે જરૂરી બનતું જાય છે. નહિતર જેમ મુસ્લિમ લોકો કટ્ટરવાદના કારણે પાછળ રહી ગયા તેમ આપણે લોકો પણ રહી જઈશું. લોકોને સમજાવવું પડશે કે Ambedkar is known for his progressive ideology and his work in that manner. He was not radical in any manner. So don't be radical but be progressive. તમારો લેખ આ દિશામાં એક પહેલ કરેલ જણાય છે. અને તમને ગાળો પણ મળી છે. પરંતુ આ રીતે સમાજને સાચો આઈનો દેખાડી સમાજને સાચી દિશા બતાવવાનું કામ આપ જેવા બુદ્ધિજીવીઓ જ કરી શકે. અને આગળ પણ કરે તેવી વિનંતિ. આભાર સહ, ભરત ડાભી www.VankarSamaj.com

Thursday, January 28, 2016

ધોરણ ૧૨ બોર્ડ માં ભણતા વિદ્યાર્થીઓ માટે ખાસ અગત્યનું

ધોરણ ૧૨ બોર્ડ માં ભણતા વિદ્યાર્થીઓ માટે ખાસ અગત્યનું.:

વિદ્યાર્થીઓ માટે ધોરણ ૧૨ પછી સરકાર દ્વારા B.Voc નામના કોર્સ ની શરૂઆત કરવામાં આવી છે. આ કોર્સ ધોરણ ૧૨ પછી ના કોઈ પણ કોર્સ જેમકે BBA/B.Com/BAM કરતા પણ શ્રેષ્ઠ અને ઉચ્ચ કક્ષા નો છે. સરકારી કોર્સ હોવા થી આની વધુ જાહેર ખબર જોવા મળશે નહિ એટલે આ ખુબ જ અગત્ય ની વિગત અહી મેળવો.

કોર્સ ની ખાસીયત:

૧.  B.Voc કોઈ કોલેજ કે યુનિવર્સીટી એ નહિ પણ ખુદ સરકારે UGC અને AICTE દ્વારા બનાવેલો છે.

૨. સરકાર દ્વારા B.Voc માં ધોરણ ૧૨ પછી વિદ્યાર્થીઓ ને તુરત જ નોકરી અથવા રોજગારી આપવામાં આવે છે.

૩. વિદ્યાર્થી ધોરણ ૧૨ પછી તરત જ ભણતા ની સાથે સાથે જ કમાતો પણ થઇ જાય છે.

૪. વિદ્યાર્થી પોતાની કમાણી માંથી જ પોતાની ફી ભરી શકે છે, ઉપરાંત વધારાની આવક પણ મેળવી શકે છે. આમ વાલી માથે બોજ ને બદલે સ્વનિર્ભર થઇ જાય છે.

૫. વિદ્યાર્થી ભણવા ની સાથે સાથે અનુભવ પણ મેળવે છે. જે તેને વિદેશ ભણવા કે કમાવા જવા માં ખુબ જ મદદરૂપ નીવડે છે.

૬. વિદ્યાર્થી ને બીજો કોઈ ડીગ્રી કોર્સ કરવાની જરૂર રેહતી નથી.

૭. વિદ્યાર્થી B.Voc કર્યા બાદ તુરત જ ફૂલ ટાઇમ જોબ મેળવી શકે છે અથવા આગળ MBA/Ph.D જેવા કોર્સ માં એડમિશન મેળવી શકે છે.

૮. વિદ્યાર્થી B.Voc સાથે CA/CS વગેરે કરી શકે છે અથવા સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી પણ કરી શકે છે.

B.Voc ચલાવનાર સંસ્થા:

સરકાર દ્વારા ૧૯૩૬ માં Tata Institute of Social Sciences (TISS) ની રચના કરવામાં આવી છે જે આ કોર્સ આખા દેશ માં ચલાવે છે. તેના કેમ્પસ મુંબઈ, હૈદરાબાદ, ગુવાહાટી, તુલાજપુર વગેરે જગ્યાએ છે.

ગુજરાત માં ક્યાં?

ગુજરાત માં રાજકોટ ખાતે TISS નું કેમ્પસ શરુ થવા જઈ રહ્યું છે જ્યાં ધોરણ ૧૨ ની માર્ચ ૨૦૧૬ માં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ B.Voc માં પ્રવેશ મેળવી શકશે.

B.Voc પ્રવેશ પ્રક્રિયા:

૧. વિદ્યાર્થી એ રૂ. ૫ ના મુલ્ય નું એપ્લીકેશન ફોર્મ TISS-RAJKOT ખાતે થી મેળવી ભરવાનું રેહશે.

૨. ફોર્મ વેહલા તે પેહલા ના ધોરણે જ મળશે. ફોર્મ ખાલી થઇ ગયા બાદ મળવા પાત્ર નથી.

૩. ફોર્મ વહેચણી ની શરૂઆત તા. ૨૦ જાન્યુઆરી ૨૦૧૬ થી થશે.

B.Voc પ્રવેશ લાયકાત:

૧. કોઈ પણ પ્રવાહ માં ૪૦% સાથે ધોરણ ૧૨ પાસ કરેલ હોવું જરુરી છે.

૨. કોમર્સ ના વિદ્યાર્થીઓ ને અગ્રીમતા આપવામાં આવશે.

૩. પ્રવેશ મેરીટ લીસ્ટ ના આધારે મળશે.

B.Voc એડમિશન સીટ કેપેસિટી:

૧. એડમિશન સીટ ફક્ત ૧૦૦ હોવાથી એટલા જ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે.

૨. સરકારી કોર્સ હોવા થી કોઈ પણ જાતનું ડોનેશન આપવામાં ભરમાવું નહિ.

૩. આ કોર્સ માં અનામત સુવિધા નથી.

B.Voc ના ફોર્મ મેળવવા સંપર્ક:

TISS-SVE, Rajkot
C/o, Sister Nivedita Institute of Quality Education, Jalaram Plot, University Road, Rajkot

Call: 7383337596 / 98256 28190 / 81286 68957
ખાસ સુચના:

ધોરણ ૧૨ પછી તુરત જ રોજગારી અને ભણતર બંને આપતો આ એક માત્ર કોર્સ છે. જો આપ કોઈ ધોરણ ૧૨ ના વિદ્યાર્થી ને જાણતા હોય તો એના માટે વેહલા તે પેહલા ના ધોરણે તરત જ ફોર્મ મેળવી લેવા વિનંતી છે.

Thursday, January 7, 2016

૨૨ પ્રતિજ્ઞાઓ [૧૩]

૨૨ પ્રતિજ્ઞાઓ [૧૩] :

૧. હું બ્રહ્મા - વિષ્ણુ-મહેશને ઈશ્વર માનીશ નહીં તેમજ તેમની પૂજા કરીશ નહીં.

૨. હું રામ અને કૃષ્ણને ઈશ્વર માનીશ નહીં તેમજ તેમની પૂજા કરીશ નહીં.

૩. હું ગૌરી- ગણપતિ ઈત્યાદિ કોઈ પણ હિન્દુ ધર્મના દેવ - દેવીઓ ને માનીશ નહીં તેમજ તેમની પૂજા કરીશ નહીં.

૪. હું એવી વાત કદાપી માનીશ નહીં કે ઈશ્વરે અવતાર લીધો છે.

૫. હું એવું ક્યારેય માનીશ નહીં કે ભગવાન બુદ્ધ વિષ્ણુનો અવતાર છે. હું તેને પાગલ પ્રચાર સમજીશ.

૬. હું શ્રાધ્ધ તથા પીંડદાન કદાપિ કરીશ નહીં.

૭. હું બૌધ્ધ ધર્મ વિરૂદ્ધનું કોઈ આચરણ કરીશ નહીં.

૮. હું કોઈ પણ ધાર્મિક ક્રિયાકર્મ બ્રાહ્મણના હાથે કરાવીશ નહીં.

૯. હું બધા મનુષ્યો સમાન છે, તે સિધ્ધાંતને જ માનીશ.

૧૦. હું સમાનતાની સ્થાપના માટે પ્રયત્ન કરીશ.

૧૧. હું ભગવાન બુદ્ધનાં આર્ય અષ્ટાંગ માર્ગનું સંપૂર્ણપણે પાલન કરીશ.

૧૨. હું ભગવાન બુદ્ધનાં બતાવેલ દશ પારમિતાનું પાલન કરીશ.

૧૩. હું પ્રાણી માત્ર પર કરૂણા રાખીશ અને તેમનું લાલન પાલન કરીશ.

૧૪. હું ચોરી કરીશ નહીં.

૧૫. હું અસત્ય (જુઠું) બોલીશ નહીં.

૧૬. હું મિથ્યાચાર કરીશ નહીં.

૧૭. હું શરાબ વગેરે કેફી (માદક) પદાર્થોનો નશો કરીશ નહીં.

૧૮. હું મારા જીવનને બૌદ્ધ ધર્મના ત્રણ તત્વો પ્રજ્ઞા-શીલ કરૂણાના સિધ્ધાંત અનુસાર મારા જીવનને ઢાળવા પ્રયત્ન કરીશ.

૧૯. હું મનુષ્ય માત્રના ઉત્કર્ષ માટે હાનીકારક અને મનુષ્ય માત્રના માટે અસમાન કે ઉંચનીચ,માનવાવાળા મારા જુના હિન્દુ ધર્મનો સંપુર્ણ રીતે ત્યાગ કરુ છું અને હું બૌધ્ધ ધર્મનો સ્વીકાર કરૂ છું.

૨૦. મારો સંપૂર્ણ અટલ વિશ્વાસ છે કે બૌધ્ધ ધર્મ એ જ સદધર્મ છે.

૨૧. હું માનું છું કે, મારો આજથી પુર્નજન્મ થઇ રહ્યો છે.

૨૨. હું પવિત્ર પ્રતિજ્ઞા લઉ છું કે,આજથી બૌધ્ધ ધર્મનાં સિધ્ધાંત અનુસાર આચરણ કરીશ.

Monday, January 4, 2016

આજે હું જે લખી રહ્યો છું એ મારા સમાજ ને એ ભણેલા ગણેલા શિક્ષિત લોકો માટે છે, જેઓં બાબાસાહેબ ના અથાગ પરિશ્રમ....


જય ભીમ સાથીયો,
આજે હું જે લખી રહ્યો છું એ મારા સમાજ ને એ ભણેલા ગણેલા શિક્ષિત લોકો માટે છે, જેઓં બાબાસાહેબ ના અથાગ પરિશ્રમ અને મેહનત ના કારણે મળેલી અનામત અને શિષ્યવૃત્તિ નો સહારો લઈને ભણી ગણીને આગળ વધે છે, સારા હોદ્દા પર નોકરી મેળવે છે અને પછી પોતાના આ જ સમાજ ને, સમાજ ના લોકો ને અવગણવા લાગે છે.. જેઓં બાબાસાહેબ એ કરેલા કાર્યો ના ઋણ ના ને ભૂલી જાય છે.. 
ઘણી વખત મેં લોકો ને એવું બોલતા સાંભળ્યા છે કે, આજ સુધી સમાજ એ અમને આપ્યું છે શું, સમાજ એ અમારા માટે કર્યું છે શું? ઘણી વખત આ જ લોકો કહે છે કે હજી તો આ અમારી કોઈ ઉમર છે સમાજ માટે કઈ કામ કરવાની!!!


 આજ વાત નો વિચાર આવતા મને બાબાસાહેબ ને સંબંધિત એક પ્રસંગ યાદ આવે છે.. જયારે બાબાસાહેબ વિદેશ અભ્યાસ પછી દેશ પરત આવે છે, ત્યારે તેમની પાસે નાણા નો અભાવ હતો.. અને એવા સમય માં તેઓં પોતાના બાળકો અને પરિવાર નું યોગ્ય ભારણ-પોષણ ના કરી શક્યા અને તેમને તેમના બાળકો ગુમાવવા પડ્યા.. ત્યારે એક વખત તેમના પત્ની રમાબાઈ એ તેમને કહ્યું કે, તમે વિદેશ માં જઈને એટલો ઉચ્ચ અભ્યાસ કરીને આવ્યા છો; તમને તો કોઈ પણ સારી સરકારી નોકરી મળી જશે, અને જેનાથી અપને અપના બાળકો ને સાચવી સકીસુ, તેમનું ભારણ-પોષણ કરી શકીશું.. ત્યારે બાબાસાહેબ એ તેમના પત્ની ને જવાબ આપ્યો હતો કે, જો હું નોકરી મેળવી લીસ તો બંધન માં બંધાઈ જઈસ અને હું એ કાર્ય નહિ કરી સકું જે હું મારા સમાજ અને મારા સમાજ ના લોકો ને વિકાસ માટે કરવા માંગું છું.. મારા આ સમાજ ના લાખો બાળકો રોજ કુપોષણ અને ગરીબી ના કારણે મૃત્યુ પામે છે.. અને હું મારા એક બાળક ના લીધે મારા આ સમાજરૂપી પરિવાર ના લાખો બાળકો નું બલિદાન ના આપી શકું.. અને એ પછી બાબાસાહેબ એ જીવનપર્યંત પોતાના પછાત સમાજ ના વિકાસ માટે કાર્યો કરયા.. બાબાસાહેબ એ પોતાના સમાજ ના વિકાસ અને ઉત્થાન માટે પોતાની સમગ્ર જીંદગી, પોતાના બાળકો અને પોતાના પરિવાર નું બલિદાન આપી દીધું હતું..
શું તમને નથી લાગતું કે જો બાબાસાહેબ એ ઈચ્છ્યું હોત તો તેમને સારામાં સારી નોકરી મેળવી ને આરામ થી પોતાની જીંદગી જીવી શક્યા હોત? પણ એમને પોતાના સમાજ ને પ્રાધાન્ય આપ્યું અને પોતાના સમાજ માટે પોતાનું જીવન વાપરી નાખ્યું..

પોતાના એક ભાષણ માં બાબાસાહેબ એ કહ્યું હતું કે, "હું જે સમાજ માં જન્મ્યો છું, એ સમાજ ની ગરીબી, બેકારી, લાચારી અને પછાતપણા ને દૂર નહિ કરી સકું; તો હું મારી જાત ને ગોળી મારી ને ખતમ કરી દઈસ.." અને બાબાસાહેબ એ જે કીધું હતું એ કરીને બતાવ્યું.. એમને વિશ્વ ના સૌથી મોટા લોકશાહી દેશ નું બંધારણ લખ્યું, અને એમાં પણ પોતાના આર્થિક અને સામાજિક રીતે પછાત સમાજ ના લોકો માટે વિશેષ હકો અને અધિકારો અપાવ્યુ.. પોતાના સમાજ ને અને સમાજ ના લોકો ને એક મહત્વ નું સ્થાન અપાવ્યું.. 
બાબાસાહેબ એ કહ્યું હતું કે,મને મારા સમાજ ના જ ભણેલા ગણેલા લોકો એ દગો આપ્યો છે.. અભણ લોકો એ તો મને મારા કર્યો માં સાથ આપ્યો છે, અને એમના સહયોગ ના કારણે જ આજે આ સમાજ શિક્ષા મેળવી શક્યો છે..

૧૮ માર્ચ, ૧૯૫૪ ના રોજ આગ્રરા માં આપેલ ભાષણ માં બાબા એ કહ્યું હતું કે, "પોતાના ગરીબ અને અજ્ઞાની ભાઈઓ ની સેવા કરવી એ પ્રત્યેક શિક્ષિત નું પ્રથમ કર્તવ્ય છે.. મોટા પદ ની નોકરી મેળવી ને આ શિક્ષિત ભાઈઓ પોતાના અશિક્ષિત ભાઈઓ ને ભૂલી જાય છે.. જો તેઓંએ પોતાના આ અસંખ્ય ભાઈઓ તરફ ઉચિત ધ્યાન ના આપ્યું તો આ સમાજ નું પતન નિશ્ચિત છે.."

તો ભાઈઓ હું આપને પૂછવા માંગું છું કે, શું ખાલી શિષ્યવૃત્તિ મેળવવા માટે કે સરકારી નોકરી માટે અનામત નો લાભ લેવા માટે જ આ સમાજ નો ઉપયોગ કરીશું? શું આપના સમાજ ના વિકાસ માટે અને સમાજ માં એકતા અને જાગૃતિ લાવવા માટે આપણે આપનો ફાળો ના આપી શકીએ? શું આપને પણ આપના સમાજ ના ભણેલા ગણેલા ગદ્દારો માં આવીએ છીએ? શું આપની કોઈ ફરજ કે કર્તવ્ય નથી આપણા સમાજ અને સમાજ ના લોકો માટે? જે કાર્ય ને બાબાસાહેબ એકલા આટલે સુધી આગળ લાવ્યા છે, તે અધૂરા કામ ને પૂરું કરવામાં અને તેને આગળ લઇ જવામાં આપણે આપનું યોગદાન ના આપી શકીએ?
ચાલો આપને સૌ સાથે મળીને આપના સમાજ ના, આપના દેશ ના વિકાસ માં આપનું યોગદાન આપીએ.. બાબાસાહેબ ના અધૂરા કર્યો ને પૂરું કરવામાં પોતાનું યોગદાન આપી એક જાતિવિહીન દેશ ના નિર્માણ માં આપનું યોગદાન આપીએ.. આપણા પર રહેલા બાબાસાહેબ નું ઋણ ચૂકવીએ અને સૌ સાથે મળી આગળ વધીએ. 
જય ભીમ.. નમો બુધાય


T-shirts of Dr. Ambedkar

T-shirts of Dr. Ambedkar

Books of Dr. Ambedkar

Books of Dr. Ambedkar

Books on Life of Dr. Ambedkar

Books on Life of Dr. Ambedkar