Thursday, February 4, 2016
કિશોરભાઈ, આપનો દિવ્યભાસ્કરમાં છપાયેલ ૩૧-૦૧-૨૦૧૬ નો લેખ વાંચ્યો. તમારા આ લેખના વિવિધ પ્રતિસાદોથી એટલું તો કહિ શકાય કે તમે સામા વહેણમાં તરવાની હિંમત દાખવી છે. લેખનું મથાળું ઘણું કહિ જાય છે
કિશોરભાઈ, આપનો દિવ્યભાસ્કરમાં છપાયેલ ૩૧-૦૧-૨૦૧૬ નો લેખ વાંચ્યો. તમારા આ લેખના વિવિધ પ્રતિસાદોથી એટલું તો કહિ શકાય કે તમે સામા વહેણમાં તરવાની હિંમત દાખવી છે. લેખનું મથાળું ઘણું કહિ જાય છે. આંબેડકરને બૌદ્ધ ધર્મની સઁસ્થાઓ અને રાજકારણ માટે થઇને વિવિધ સંગઠનો દ્વારા હાઇજેક કરવામાં આવ્યા છે તેને તમે ક્યાંક હાઇલાઇટ કર્યું છે. અને સ્વાભાવિક રીતે આંબેડકરના નામે ઘર ભરતા આવા લોકોને તેનો વિરોધ છે. આવા લોકો જેમાં હું જાણું ત્યાં સુધી બામસેફ, નયા પડકાર વગેરે લોકોએ આંબેડકર અમારા અમારા કરીને એમને ફક્ત દલિતોના નેતા બનાવી દીધા છે. જ્યારે આંબેડકરે બંધારણ દ્વારા લોકશાહી ભારતના ઘડતરમાં આપેલ યોગદાનને કોઈ મહત્વ નથી મળી રહ્યું. આઝાદી માટે જેટલુ ગાંધીજીનું યોગદાન છે, દેશને અખંડ બનાવવામાં જેટલું સરદાર પટેલનું યોગદાન છે એમ દેશના ભાવી ઘડતરની બુનિયાદ રોપવામાં આંબેડકરનું યોગદાન મહત્વનું છે. પરંતુ આજે ગાંધીજી કે સરદાર પટેલની જેમ આંબેડકરની ઓળખ રાષ્ટ્રીય નેતાની નથી રહિ. કેમ કે આંબેડકરના નામને વટાવી ખાવાની સ્વહીતની આપણા જ લોકોની વિવિધ પ્રવૃત્તિઓના લીધે તેઓ ફકત દલિતોના માણસ બનીને રહી ગયા છે. જેથી આપણા જ દલિત સમાજને નુકસાન થઈ રહ્યું છે અને દલિત સમાજની ભારત વિરોધી, હિંદુ વિરોધી, પ્રગતિમાં અડચણરૂપ વગેરે જેવી છાપ પડી રહી છે. સમાજને આવી અધોગતિપૂર્ણ વિચારધારામાં જતું અટકાવવું હવે જરૂરી બનતું જાય છે. નહિતર જેમ મુસ્લિમ લોકો કટ્ટરવાદના કારણે પાછળ રહી ગયા તેમ આપણે લોકો પણ રહી જઈશું. લોકોને સમજાવવું પડશે કે Ambedkar is known for his progressive ideology and his work in that manner. He was not radical in any manner. So don't be radical but be progressive. તમારો લેખ આ દિશામાં એક પહેલ કરેલ જણાય છે. અને તમને ગાળો પણ મળી છે. પરંતુ આ રીતે સમાજને સાચો આઈનો દેખાડી સમાજને સાચી દિશા બતાવવાનું કામ આપ જેવા બુદ્ધિજીવીઓ જ કરી શકે. અને આગળ પણ કરે તેવી વિનંતિ. આભાર સહ, ભરત ડાભી www.VankarSamaj.com
Subscribe to:
Post Comments (Atom)
Blog Archive
T-shirts of Dr. Ambedkar
Books of Dr. Ambedkar
Books on Life of Dr. Ambedkar
No comments:
Post a Comment