Thursday, January 28, 2016

ધોરણ ૧૨ બોર્ડ માં ભણતા વિદ્યાર્થીઓ માટે ખાસ અગત્યનું

ધોરણ ૧૨ બોર્ડ માં ભણતા વિદ્યાર્થીઓ માટે ખાસ અગત્યનું.:

વિદ્યાર્થીઓ માટે ધોરણ ૧૨ પછી સરકાર દ્વારા B.Voc નામના કોર્સ ની શરૂઆત કરવામાં આવી છે. આ કોર્સ ધોરણ ૧૨ પછી ના કોઈ પણ કોર્સ જેમકે BBA/B.Com/BAM કરતા પણ શ્રેષ્ઠ અને ઉચ્ચ કક્ષા નો છે. સરકારી કોર્સ હોવા થી આની વધુ જાહેર ખબર જોવા મળશે નહિ એટલે આ ખુબ જ અગત્ય ની વિગત અહી મેળવો.

કોર્સ ની ખાસીયત:

૧.  B.Voc કોઈ કોલેજ કે યુનિવર્સીટી એ નહિ પણ ખુદ સરકારે UGC અને AICTE દ્વારા બનાવેલો છે.

૨. સરકાર દ્વારા B.Voc માં ધોરણ ૧૨ પછી વિદ્યાર્થીઓ ને તુરત જ નોકરી અથવા રોજગારી આપવામાં આવે છે.

૩. વિદ્યાર્થી ધોરણ ૧૨ પછી તરત જ ભણતા ની સાથે સાથે જ કમાતો પણ થઇ જાય છે.

૪. વિદ્યાર્થી પોતાની કમાણી માંથી જ પોતાની ફી ભરી શકે છે, ઉપરાંત વધારાની આવક પણ મેળવી શકે છે. આમ વાલી માથે બોજ ને બદલે સ્વનિર્ભર થઇ જાય છે.

૫. વિદ્યાર્થી ભણવા ની સાથે સાથે અનુભવ પણ મેળવે છે. જે તેને વિદેશ ભણવા કે કમાવા જવા માં ખુબ જ મદદરૂપ નીવડે છે.

૬. વિદ્યાર્થી ને બીજો કોઈ ડીગ્રી કોર્સ કરવાની જરૂર રેહતી નથી.

૭. વિદ્યાર્થી B.Voc કર્યા બાદ તુરત જ ફૂલ ટાઇમ જોબ મેળવી શકે છે અથવા આગળ MBA/Ph.D જેવા કોર્સ માં એડમિશન મેળવી શકે છે.

૮. વિદ્યાર્થી B.Voc સાથે CA/CS વગેરે કરી શકે છે અથવા સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી પણ કરી શકે છે.

B.Voc ચલાવનાર સંસ્થા:

સરકાર દ્વારા ૧૯૩૬ માં Tata Institute of Social Sciences (TISS) ની રચના કરવામાં આવી છે જે આ કોર્સ આખા દેશ માં ચલાવે છે. તેના કેમ્પસ મુંબઈ, હૈદરાબાદ, ગુવાહાટી, તુલાજપુર વગેરે જગ્યાએ છે.

ગુજરાત માં ક્યાં?

ગુજરાત માં રાજકોટ ખાતે TISS નું કેમ્પસ શરુ થવા જઈ રહ્યું છે જ્યાં ધોરણ ૧૨ ની માર્ચ ૨૦૧૬ માં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ B.Voc માં પ્રવેશ મેળવી શકશે.

B.Voc પ્રવેશ પ્રક્રિયા:

૧. વિદ્યાર્થી એ રૂ. ૫ ના મુલ્ય નું એપ્લીકેશન ફોર્મ TISS-RAJKOT ખાતે થી મેળવી ભરવાનું રેહશે.

૨. ફોર્મ વેહલા તે પેહલા ના ધોરણે જ મળશે. ફોર્મ ખાલી થઇ ગયા બાદ મળવા પાત્ર નથી.

૩. ફોર્મ વહેચણી ની શરૂઆત તા. ૨૦ જાન્યુઆરી ૨૦૧૬ થી થશે.

B.Voc પ્રવેશ લાયકાત:

૧. કોઈ પણ પ્રવાહ માં ૪૦% સાથે ધોરણ ૧૨ પાસ કરેલ હોવું જરુરી છે.

૨. કોમર્સ ના વિદ્યાર્થીઓ ને અગ્રીમતા આપવામાં આવશે.

૩. પ્રવેશ મેરીટ લીસ્ટ ના આધારે મળશે.

B.Voc એડમિશન સીટ કેપેસિટી:

૧. એડમિશન સીટ ફક્ત ૧૦૦ હોવાથી એટલા જ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે.

૨. સરકારી કોર્સ હોવા થી કોઈ પણ જાતનું ડોનેશન આપવામાં ભરમાવું નહિ.

૩. આ કોર્સ માં અનામત સુવિધા નથી.

B.Voc ના ફોર્મ મેળવવા સંપર્ક:

TISS-SVE, Rajkot
C/o, Sister Nivedita Institute of Quality Education, Jalaram Plot, University Road, Rajkot

Call: 7383337596 / 98256 28190 / 81286 68957
ખાસ સુચના:

ધોરણ ૧૨ પછી તુરત જ રોજગારી અને ભણતર બંને આપતો આ એક માત્ર કોર્સ છે. જો આપ કોઈ ધોરણ ૧૨ ના વિદ્યાર્થી ને જાણતા હોય તો એના માટે વેહલા તે પેહલા ના ધોરણે તરત જ ફોર્મ મેળવી લેવા વિનંતી છે.

Thursday, January 7, 2016

૨૨ પ્રતિજ્ઞાઓ [૧૩]

૨૨ પ્રતિજ્ઞાઓ [૧૩] :

૧. હું બ્રહ્મા - વિષ્ણુ-મહેશને ઈશ્વર માનીશ નહીં તેમજ તેમની પૂજા કરીશ નહીં.

૨. હું રામ અને કૃષ્ણને ઈશ્વર માનીશ નહીં તેમજ તેમની પૂજા કરીશ નહીં.

૩. હું ગૌરી- ગણપતિ ઈત્યાદિ કોઈ પણ હિન્દુ ધર્મના દેવ - દેવીઓ ને માનીશ નહીં તેમજ તેમની પૂજા કરીશ નહીં.

૪. હું એવી વાત કદાપી માનીશ નહીં કે ઈશ્વરે અવતાર લીધો છે.

૫. હું એવું ક્યારેય માનીશ નહીં કે ભગવાન બુદ્ધ વિષ્ણુનો અવતાર છે. હું તેને પાગલ પ્રચાર સમજીશ.

૬. હું શ્રાધ્ધ તથા પીંડદાન કદાપિ કરીશ નહીં.

૭. હું બૌધ્ધ ધર્મ વિરૂદ્ધનું કોઈ આચરણ કરીશ નહીં.

૮. હું કોઈ પણ ધાર્મિક ક્રિયાકર્મ બ્રાહ્મણના હાથે કરાવીશ નહીં.

૯. હું બધા મનુષ્યો સમાન છે, તે સિધ્ધાંતને જ માનીશ.

૧૦. હું સમાનતાની સ્થાપના માટે પ્રયત્ન કરીશ.

૧૧. હું ભગવાન બુદ્ધનાં આર્ય અષ્ટાંગ માર્ગનું સંપૂર્ણપણે પાલન કરીશ.

૧૨. હું ભગવાન બુદ્ધનાં બતાવેલ દશ પારમિતાનું પાલન કરીશ.

૧૩. હું પ્રાણી માત્ર પર કરૂણા રાખીશ અને તેમનું લાલન પાલન કરીશ.

૧૪. હું ચોરી કરીશ નહીં.

૧૫. હું અસત્ય (જુઠું) બોલીશ નહીં.

૧૬. હું મિથ્યાચાર કરીશ નહીં.

૧૭. હું શરાબ વગેરે કેફી (માદક) પદાર્થોનો નશો કરીશ નહીં.

૧૮. હું મારા જીવનને બૌદ્ધ ધર્મના ત્રણ તત્વો પ્રજ્ઞા-શીલ કરૂણાના સિધ્ધાંત અનુસાર મારા જીવનને ઢાળવા પ્રયત્ન કરીશ.

૧૯. હું મનુષ્ય માત્રના ઉત્કર્ષ માટે હાનીકારક અને મનુષ્ય માત્રના માટે અસમાન કે ઉંચનીચ,માનવાવાળા મારા જુના હિન્દુ ધર્મનો સંપુર્ણ રીતે ત્યાગ કરુ છું અને હું બૌધ્ધ ધર્મનો સ્વીકાર કરૂ છું.

૨૦. મારો સંપૂર્ણ અટલ વિશ્વાસ છે કે બૌધ્ધ ધર્મ એ જ સદધર્મ છે.

૨૧. હું માનું છું કે, મારો આજથી પુર્નજન્મ થઇ રહ્યો છે.

૨૨. હું પવિત્ર પ્રતિજ્ઞા લઉ છું કે,આજથી બૌધ્ધ ધર્મનાં સિધ્ધાંત અનુસાર આચરણ કરીશ.

Monday, January 4, 2016

આજે હું જે લખી રહ્યો છું એ મારા સમાજ ને એ ભણેલા ગણેલા શિક્ષિત લોકો માટે છે, જેઓં બાબાસાહેબ ના અથાગ પરિશ્રમ....


જય ભીમ સાથીયો,
આજે હું જે લખી રહ્યો છું એ મારા સમાજ ને એ ભણેલા ગણેલા શિક્ષિત લોકો માટે છે, જેઓં બાબાસાહેબ ના અથાગ પરિશ્રમ અને મેહનત ના કારણે મળેલી અનામત અને શિષ્યવૃત્તિ નો સહારો લઈને ભણી ગણીને આગળ વધે છે, સારા હોદ્દા પર નોકરી મેળવે છે અને પછી પોતાના આ જ સમાજ ને, સમાજ ના લોકો ને અવગણવા લાગે છે.. જેઓં બાબાસાહેબ એ કરેલા કાર્યો ના ઋણ ના ને ભૂલી જાય છે.. 
ઘણી વખત મેં લોકો ને એવું બોલતા સાંભળ્યા છે કે, આજ સુધી સમાજ એ અમને આપ્યું છે શું, સમાજ એ અમારા માટે કર્યું છે શું? ઘણી વખત આ જ લોકો કહે છે કે હજી તો આ અમારી કોઈ ઉમર છે સમાજ માટે કઈ કામ કરવાની!!!


 આજ વાત નો વિચાર આવતા મને બાબાસાહેબ ને સંબંધિત એક પ્રસંગ યાદ આવે છે.. જયારે બાબાસાહેબ વિદેશ અભ્યાસ પછી દેશ પરત આવે છે, ત્યારે તેમની પાસે નાણા નો અભાવ હતો.. અને એવા સમય માં તેઓં પોતાના બાળકો અને પરિવાર નું યોગ્ય ભારણ-પોષણ ના કરી શક્યા અને તેમને તેમના બાળકો ગુમાવવા પડ્યા.. ત્યારે એક વખત તેમના પત્ની રમાબાઈ એ તેમને કહ્યું કે, તમે વિદેશ માં જઈને એટલો ઉચ્ચ અભ્યાસ કરીને આવ્યા છો; તમને તો કોઈ પણ સારી સરકારી નોકરી મળી જશે, અને જેનાથી અપને અપના બાળકો ને સાચવી સકીસુ, તેમનું ભારણ-પોષણ કરી શકીશું.. ત્યારે બાબાસાહેબ એ તેમના પત્ની ને જવાબ આપ્યો હતો કે, જો હું નોકરી મેળવી લીસ તો બંધન માં બંધાઈ જઈસ અને હું એ કાર્ય નહિ કરી સકું જે હું મારા સમાજ અને મારા સમાજ ના લોકો ને વિકાસ માટે કરવા માંગું છું.. મારા આ સમાજ ના લાખો બાળકો રોજ કુપોષણ અને ગરીબી ના કારણે મૃત્યુ પામે છે.. અને હું મારા એક બાળક ના લીધે મારા આ સમાજરૂપી પરિવાર ના લાખો બાળકો નું બલિદાન ના આપી શકું.. અને એ પછી બાબાસાહેબ એ જીવનપર્યંત પોતાના પછાત સમાજ ના વિકાસ માટે કાર્યો કરયા.. બાબાસાહેબ એ પોતાના સમાજ ના વિકાસ અને ઉત્થાન માટે પોતાની સમગ્ર જીંદગી, પોતાના બાળકો અને પોતાના પરિવાર નું બલિદાન આપી દીધું હતું..
શું તમને નથી લાગતું કે જો બાબાસાહેબ એ ઈચ્છ્યું હોત તો તેમને સારામાં સારી નોકરી મેળવી ને આરામ થી પોતાની જીંદગી જીવી શક્યા હોત? પણ એમને પોતાના સમાજ ને પ્રાધાન્ય આપ્યું અને પોતાના સમાજ માટે પોતાનું જીવન વાપરી નાખ્યું..

પોતાના એક ભાષણ માં બાબાસાહેબ એ કહ્યું હતું કે, "હું જે સમાજ માં જન્મ્યો છું, એ સમાજ ની ગરીબી, બેકારી, લાચારી અને પછાતપણા ને દૂર નહિ કરી સકું; તો હું મારી જાત ને ગોળી મારી ને ખતમ કરી દઈસ.." અને બાબાસાહેબ એ જે કીધું હતું એ કરીને બતાવ્યું.. એમને વિશ્વ ના સૌથી મોટા લોકશાહી દેશ નું બંધારણ લખ્યું, અને એમાં પણ પોતાના આર્થિક અને સામાજિક રીતે પછાત સમાજ ના લોકો માટે વિશેષ હકો અને અધિકારો અપાવ્યુ.. પોતાના સમાજ ને અને સમાજ ના લોકો ને એક મહત્વ નું સ્થાન અપાવ્યું.. 
બાબાસાહેબ એ કહ્યું હતું કે,મને મારા સમાજ ના જ ભણેલા ગણેલા લોકો એ દગો આપ્યો છે.. અભણ લોકો એ તો મને મારા કર્યો માં સાથ આપ્યો છે, અને એમના સહયોગ ના કારણે જ આજે આ સમાજ શિક્ષા મેળવી શક્યો છે..

૧૮ માર્ચ, ૧૯૫૪ ના રોજ આગ્રરા માં આપેલ ભાષણ માં બાબા એ કહ્યું હતું કે, "પોતાના ગરીબ અને અજ્ઞાની ભાઈઓ ની સેવા કરવી એ પ્રત્યેક શિક્ષિત નું પ્રથમ કર્તવ્ય છે.. મોટા પદ ની નોકરી મેળવી ને આ શિક્ષિત ભાઈઓ પોતાના અશિક્ષિત ભાઈઓ ને ભૂલી જાય છે.. જો તેઓંએ પોતાના આ અસંખ્ય ભાઈઓ તરફ ઉચિત ધ્યાન ના આપ્યું તો આ સમાજ નું પતન નિશ્ચિત છે.."

તો ભાઈઓ હું આપને પૂછવા માંગું છું કે, શું ખાલી શિષ્યવૃત્તિ મેળવવા માટે કે સરકારી નોકરી માટે અનામત નો લાભ લેવા માટે જ આ સમાજ નો ઉપયોગ કરીશું? શું આપના સમાજ ના વિકાસ માટે અને સમાજ માં એકતા અને જાગૃતિ લાવવા માટે આપણે આપનો ફાળો ના આપી શકીએ? શું આપને પણ આપના સમાજ ના ભણેલા ગણેલા ગદ્દારો માં આવીએ છીએ? શું આપની કોઈ ફરજ કે કર્તવ્ય નથી આપણા સમાજ અને સમાજ ના લોકો માટે? જે કાર્ય ને બાબાસાહેબ એકલા આટલે સુધી આગળ લાવ્યા છે, તે અધૂરા કામ ને પૂરું કરવામાં અને તેને આગળ લઇ જવામાં આપણે આપનું યોગદાન ના આપી શકીએ?
ચાલો આપને સૌ સાથે મળીને આપના સમાજ ના, આપના દેશ ના વિકાસ માં આપનું યોગદાન આપીએ.. બાબાસાહેબ ના અધૂરા કર્યો ને પૂરું કરવામાં પોતાનું યોગદાન આપી એક જાતિવિહીન દેશ ના નિર્માણ માં આપનું યોગદાન આપીએ.. આપણા પર રહેલા બાબાસાહેબ નું ઋણ ચૂકવીએ અને સૌ સાથે મળી આગળ વધીએ. 
જય ભીમ.. નમો બુધાય


T-shirts of Dr. Ambedkar

T-shirts of Dr. Ambedkar

Books of Dr. Ambedkar

Books of Dr. Ambedkar

Books on Life of Dr. Ambedkar

Books on Life of Dr. Ambedkar